કોળી સમાજ ના ધારાસભ્યો,સાંસદો ને બંગડી મોકલવાની ચીમકી કોણે અને કેમ આપી જાણો

અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન એ આ ઘટના બાબતે ઉના પ્રાતઃ અધિકારી મારફત રાજ્યપાલ ને આવેદન પત્ર આપ્યું હતું અને એમાં ઉલ્લેખ કર્યો કે અલ્ટ્રાટેક કંપની ના માઇનિંગ પ્રોજેકટ નો વિરોધ કરી રહેલા ખેડૂત ખેતમજૂરો અને સ્થાનિક ગ્રામજનો પર કંપની દ્વારા ઓન પે કરી પોલીસ પ્રોટેક્શન મેળવી ખનન કરવાના મામલે પોલીસ પબ્લિક વચ્ચે લોહિયાળ ઘર્ષણ થયું અને શાંતિ થી વિરોધ કરી રહેલા લોકો પર બેરહમી થી લાઠીચાર્જ અને ટીયર ગેસ ના સેલ છોડવામાં આવ્યા. 90 જેટલા સ્થાનિકો પર ગંભીર કલમો લગાવી ધરપકડ કરવામાં આવી આવી અમાન્ય ઘટના માં સૌથી વધુ કોળી સમાજ અને ગરીબ સમાજ ભોગ બન્યો છે.આ સમગ્ર ઘટના ને ઓનપે વહીવટી તંત્ર દ્વારા કંપની ના ઈશારે હુકમો થયા હોય એવી આશંકા સેવાઈ રહી છે. આ સમગ્ર ઘટનાની માં.હાઇકોર્ટ ના સીટીંગ જજ અથવા સીબીઆઈ મારફત તપાસ કરવામાં અને જવાબદાર તમામ સામે કાનૂની પગલાં ભરવામાં આવે અને ખેડૂતો પર ના કેશ પાછા ખેંચવા માટે માંગ કરી છે.
અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન દ્વારા કોળી સમાજ ના ધારાસભ્યો અને સાંસદો ને પણ આ મામલે લેખિત માં પત્ર મોકલવામાં આવ્યા છે. અને પત્ર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ સમગ્ર ઘટનાને સંસદ માં અને વિધાનસભા માં ઉઠાવવા માટે કહેવામાં આવ્યું છે.
અખિલ ભારતીય કોળી સમાજ ના મહામંત્રી રસિક ચાવડા એ ચીમકી આપી છે કે ગુજરાત ના ચૂંટાયેલા કોળી સમાજ ના ધારાસભ્યો સાંસદો આ મામલે નહિ બોલે તો બંગડી મોકલવામાં આવશે.
No comments:
Post a Comment